28 February, 2020 04:03 PM IST | Mumbai Desk
ઇન્ડિયન રેલવેએ પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે-સ્ટેશન પર દેશની પ્રથમ રેલ રેસ્ટોરાં શરૂ કરી છે, જેને ‘રેસ્ટોરાં ઑન વ્હીલ્સ’ નામ આપ્યું છે. ૧૯૯૪મા શરૂ કરાયેલી આસનસોલ-બરદવાં મેમો ટ્રેનના બે કોચ જે પાટા પર ચાલવા માટે અનફિટ હતા એને જ ડેકોરેટ કરીને ખૂબસૂરત રેસ્ટોરાં બનાવવામાં આવી છે. આ રેસ્ટોરાં રેલવેના પ્રવાસીઓ તેમ જ સામાન્ય જનતા માટે ખુલ્લી રહેશે, જેમાં રોલ્સથી માંડીને શાકાહારી તેમ જ માંસાહારી ભોજન મળશે. રેસ્ટોરાંના પહેલા કોચને ચાઇ-ચુન નામ આપવામાં આવ્યું છે, જેમાં ચા-નાસ્તો મળશે. બીજા કોચમાં ૪૨ સીટ્સ છે અને નાસ્તો, લંચ તેમ જ ડિનર મળી શકશે.
લોકોને આકર્ષિત કરવા માટે રેસ્ટોરાંના ઇન્ટીરિયર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કોચની દીવાલો પર પેઇન્ટિંગ ઉપરાંત જૂનાં ટાઇપરાઇટર્સ છે. દરેક ટેબલ પર લાઇટ માટે બલ્બ લટકાવવામાં આવ્યા છે.