16 August, 2025 07:15 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળમાં એક ભયાવહ અકસ્માત (West Bengal Accident) થયો છે. નેશનલ હાઇવે ૧૯ પર ફાગુપુર પાસે એક બસની ટ્રક સાથે ટક્કર થઇ હતી. આ ટક્કર બાદ દસ જેટલા તીર્થયાત્રીના મોત થયા છે. આ તમામ તીર્થયાત્રીઓ બિહારના રહેવાસી હતા.
મીડિયા રિપોર્ટ પ્રમાણે કેટલાંક લોકો બસમાં બેસીને ગંગામાં સ્નાન કર્યા બાદ પાછા ફરી રહ્યાં હતા. સવારે જ્યારે બસ ફગપુર નજીક પહોંચી ત્યારે તે રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. બસ એટલી જોરથી અથડાઈ હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી (West Bengal Accident) ગયો હતો. તાબડતોબ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અનેક લોકોને ગંભીર ઈજાઓ થઇ છે તે તમામ લોકોને હાલમાં બર્દવાનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યાં છે.
બસનો ડ્રાઈવર ખૂબ જ ઝડપી ગતિએ ડ્રાઈવિંગ કરી રહ્યો હતો જેના કારણે જ તેણે વહન પરનો કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે અને કાર સાથે બસ ટકરાઈ હોઈ શકે. અત્યારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે આ અકસ્માત (West Bengal Accident)નું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. આ તમામ લોકો બિહારના હોઈ ત્યાં પણ શોકનું વાતાવરણ છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારને તમામ શક્ય મદદ અને ઈજાગ્રસ્તોને સારવારની ખાતરી આપી છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ બે વાહનોની ટક્કરમાં અત્યારસુધીમાં તો દસ લોકો તો કાળનો કોળિયો બની ગયા છે. આ દુર્ઘટનામાં ૩૫ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. પોલીસ જણાવે છે કે આ બસમાં કુલ ૪૫ મુસાફરો હતા. જેમાં પાંચ બાળકો હતા. તમામ મુસાફરો બિહારના હતા. બસ દુર્ગાપુર જઈ રહી હતી ત્યારે આ અકસ્માતનો ભોગ બની હતી.
આ ઘટના જેણે પોતાની આંખો સામે જોઈ છે તે લોકો જણાવે છે કે બસની ઝડપ અતિશય વધારે હતી. એટલી વધારે કે ડ્રાઈવરને રોડ સાઈડ પર પાર્ક કરેલ ટ્રેક્ટર પણ ન જોઈ શકાઈ. બસ સીધી આવીને ટ્રકની પાછળ ટકરાઈ હતી. આ ટક્કરની અસર એટલી તીવ્ર હતી કે બસના આગળના ભાગનો કુચો વળી ગયો હતો. બસમાં મુસાફરો ફસાઈ રહ્યાં હતા.
નિષ્ણાતો જણાવે છે કે નેશનલ હાઇવે પર આ રીતે પાર્ક કરવામાં આવતી ટ્રકો અને હાઇ-સ્પીડ બસો ઘણીવાર આવા જાનલેવા અકસ્માતો (West Bengal Accident) સર્જી નાખે છે. આવું ન થાય તે માટે કડક પગલાં લેવા જરૂરી છે. સ્થાનિક અધિકારીઓએ મોટરચાલકોને ધોરીમાર્ગો પર, ખાસ કરીને સ્થિર વાહનોની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સાવચેતી રાખવા વિનંતી કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સલામતીના પગલાંની સમીક્ષા કરી રહ્યા છે.