22 January, 2022 10:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અપર્ણા યાદવે લીધા મુલાયમના આશીર્વાદ
બીજેપીમાં જોડાયાના ત્રીજા દિવસ બાદ અપર્ણા યાદવે મુલાયમ સિંહ યાદવના આશીર્વાદ લીધા હતા. તેમણે મુલાયમના આશીર્વાદ લેતા ફોટોને ટ્વિટર પર શૅર કરતાં લખ્યું હતું કે બીજેપીના સભ્ય બન્યા બાદ લખનઉ આવીને પિતાજી-નેતાજીના આશીર્વાદ લીધા. અપર્ણા યાદવ ૧૯ જાન્યુઆરીના ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની હાજરીમાં બીજેપીમાં જોડાયાં હતાં. આ પહેલાં તેમણે બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત પણ લીધી હતી. બીજેપીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે ‘તેઓ હંમેશાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત હતા જેમના માટે દેશ સૌથી પહેલાં છે.’