નૈનીતાલ ફરવા જવું હોય તો ટૂરિસ્ટ કારે પહેલી ડિસેમ્બરથી ૧૫૦ રૂપિયા ગ્રીન ટૅક્સ ભરવો પડશે

10 November, 2025 07:33 AM IST  |  Nainital | Gujarati Mid-day Correspondent

ટૅક્સ તરીકે વસૂલ કરવામાં આવેલી રકમ ટૂરિઝમ માટેની વ્યવસ્થાઓ બહેતર બનાવવામાં વપરાશે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકને કારણે પ્રદૂષણથી પરેશાન થતા નૈનીતાલે પર્યાવરણને બચાવવા માટે ટૂરિસ્ટો પાસેથી ગ્રીન ટૅક્સ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. આ નિયમ પહેલી ડિસેમ્બરથી લાગુ પડશે. આ નિયમ અંતર્ગત બીજાં રાજ્યોમાંથી નૈનીતાલમાં કાર લઈને પ્રવેશનારા પર્યટકોએ ગ્રીન ટૅક્સ તરીકે ૧૫૦ રૂપિયા ટૅક્સ ભરવાનો રહેશે. આ માટે ભવાલી, હલ્દવાની રોડ અને નારાયણનગરમાં ટૅક્સબૂથ બનાવવામાં આવ્યાં છે. ઉત્તરાખંડ પરિવહનની બસોને ટૅક્સમાંથી છૂટ આપવામાં આવી છે. પ્રશાસનનું માનવું છે કે આ નિયમથી પ્રદૂષણ નિયંત્રણ તો થશે જ, સાથે નૈનીતાલની પ્રાકૃતિક સુંદરતા પણ સેફ રહેશે. ટૅક્સ તરીકે વસૂલ કરવામાં આવેલી રકમ ટૂરિઝમ માટેની વ્યવસ્થાઓ બહેતર બનાવવામાં વપરાશે. 

national news india nainital air pollution environment travel travel news