શ્રીનગરમાં અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર, જવાન શહીદ

06 February, 2020 08:30 PM IST  |  Mumbai Desk

શ્રીનગરમાં અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર, જવાન શહીદ

શ્રીનગર નજીક આતંકવાદીઓ સાથે ઍન્કાઉન્ટર બાદ શ્રીનગર-બારામુલા નૅશનલ હાઇવે પણ પડેલા લોહીના ધબ્બાને સાફ કરતા જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ અને આર્મીના જવાનો. (તસવીર : પી.ટી.આઇ.)

શ્રીનગરમાં લાવેપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં એક સીઆરપીએફનો જવાન શહીદ થયો હતો, જ્યારે ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યા હતા.

સૈન્ય સૂત્રોનું માનીએ તો શ્રીનગરમાં નાકા પાર્ટી ચેકિંગ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન એક કારમાં ત્રણ આતંકવાદીઓએ ખુદને ફસાતા જોઈ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયો હતો. બીજી તરફ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે. હજી પણ એની ઑફિશ્યલ પુષ્ટિ થઈ નથી. કલમ-૩૭૦ હટાવવામાં આવ્યાના છ મહિના પૂરા થવા છતાં ઘાટીમાં બંધનો માહોલ છે.

jammu and kashmir terror attack national news