લોકસભામાં આ વખતે નહીં હોય નેતા વિપક્ષ, કોંગ્રેસ દાવો ન કર્યો

01 June, 2019 06:22 PM IST  |  નવી દિલ્હી

લોકસભામાં આ વખતે નહીં હોય નેતા વિપક્ષ, કોંગ્રેસ દાવો ન કર્યો

આ વખતે લોકસભામાં નહીં હોય નેતા વિપક્ષ!

લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની એટલી ખરાબ રીતે હાર થઈ છે કે તે નતા વિપક્ષનું પદ પણ માંગી શકે તેમ નથી. નેતા વિપક્ષ બનવા માટે 55 સાંસદો હોવા જરૂરી છે જ્યારે કોંગ્રેસ પાસે 52 જ સાંસદો છે. જેથી કોંગ્રેસ નેતા વિપક્ષના પદની માંગ નહીં કરે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા કરી છે કે પાર્ટીની તરફથી જરૂરી સંખ્યાબળ ન હોવાના કારણે નેતા વિપક્ષના પદની માંગ નહીં કરવામાં આવે.

શું કહ્યું રણદીપ સુરજેવાલાએ?
રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, પુરતું સંખ્યાબળ ન હોવાના કારણે સરકારને અને કોઈ એવી માંગણી નહી કરીએ. આ સામાન્ય વ્યવસ્થા છે કે કુલ સાંસદોની સંખ્યામાંથી 10% બેઠકો કોઈ એક પાર્ટી પાસે હોવી જોઈએ, તે બાદ જ નેતા વિપક્ષનો દરજ્જો મળી શકે છે. સંખ્યાબળની રીતે જોઈએ તો અમારી પાસે તેના કરતા ઓછી બેઠકો છે. જો કે આ સરકાર પર નિર્ભર કરે છે કે સંખ્યાબળ ઓછું હોવા છતા તેઓ એક પાર્ટીને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે દરજ્જો આપવા માંગશે કે નહીં.

સોનિયા બન્યા છે સંસદીય દળના નેતા
કોંગ્રેસના નવા ચુંટાયેલા સાંસદોની પહેલી બેઠકમાં શુક્રવારે સોનિયા ગાંધી(sonia gandhi)ને સંસદીય દળના નેતા તરીકે ચુંટવામાં આવ્યા છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે રાહુલ ગાંધી(rahul gandhi) કહી ચુક્યા છે કે તેઓ હવે પાર્ટીના અધ્યક્ષ પદ પર નથી રહેવા માંગતા. બીજી વાર સંસદીય દળના નેતા ચુંટાયા બાદ સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના પક્ષમાં મતદાન કરનારા લોકોને ધન્યવાદ કર્યો.

આ પણ વાંચોઃ સોનિયા ગાંધી બન્યા કોંગ્રેસના સંસદીય દળના નેતા, મનમોહન સિંહે મુક્યો પ્રસ્તાવ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમામે પૂર્વ વડાપ્રધાન મનમોહનિ સિંહે સંસદીય દળના નેતા માટે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મુક્યો જેને સર્વસહમતિથી પસાર કરવામાં આવ્યો. મહત્વનું છે કે 543 સભ્યો વાળી સંસદમાં કોંગ્રેસમાં 52 સાંસદ છે. આ હિસાબે જોઈએ તો કોંગ્રેસ પાસે આ પદ માટે 3 સાંસદો ની કમી છે. બેઠકમાં કોંગ્રેસના તમામ સાંસદો હાજર રહ્યા.

rahul gandhi sonia gandhi congress