હિન્દુ સાધુએ લોકસભાની ચાર બેઠક પર ઉમેદવારી નોંધાવી

26 April, 2024 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સોલાપુર લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી

હિન્દુ સાધુએ લોકસભાની ચાર બેઠક પર ઉમેદવારી નોંધાવી

લોકસભાની ચૂંટણીમાં એક વ્યક્તિ વધુમાં વધુ બે બેઠક પર ચૂંટણી લડી શકે એવો નિયમ હોવા છતાં મૂળ કર્ણાટકના હિન્દુ સાધુ વ્યન્કટેશ્વર મહાસ્વામીએ મહારાષ્ટ્રના સોલાપુર, અમરાવતી અને નાગપુર સહિત તેમના મૂળ વતન વિજયપુરમાંથી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. આમ એક-બે નહીં પણ ચાર-ચાર બેઠક પર આ સાધુએ અપક્ષ ચૂંટણી લડવા માટેનાં ફૉર્મ ભર્યાં છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સોલાપુર લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આમ છતાં આ વખતે તેમણે ચાર જગ્યાએથી ઉમેદવારી નોંધાવી છે. જોકે આ ચૂંટણીના નિયમોમાં બેસતું ન હોવાથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

Lok Sabha Election 2024 india national news