22 June, 2022 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી ઃ અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વ્યાપેલા વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના નિવાસસ્થાને સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે મીટિંગ કરી હતી. આર્મીના ચીફ જનરલ મનોજ પાંડે, ઍર ચીફ માર્શલ વી. આર. ચૌધરી અને નેવીના ચીફ એડમિરલ આર. હરિકુમારે લગભગ દોઢ કલાક સુધી પીએમ સાથે અલગ-અલગ મીટિંગ કરી હતી. જોકે આ મીટિંગ વિશે ઑફિશ્યલી કંઈ પણ જણાવવામાં આવ્યું નથી. સંરક્ષણ મંત્રાલયે આ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોની આશંકા દૂર કરવા માટે બબ્બે પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી.