20 June, 2022 04:55 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મંત્રીઓ અનિલ દેશમુખ અને નવાબ મલિકની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ ચુકાદો સંભળાવતા કોર્ટે બંને નેતાઓને કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. તેથી, હવે અનિલ દેશમુખ અને નવાબ મલિક હવે વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. અગાઉ વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ કોર્ટમાં ચર્ચા શરૂ કરી હતી. બેંચે પૂછ્યું કે શું બંને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. અરોરાએ કહ્યું કે અમે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. અમે જામીન પર મુક્ત થવા માગતા નથી. અમે કસ્ટડીમાં મતદાન કરવાની માગ કરી રહ્યા છીએ. આનો ખર્ચ પણ અમે ઉઠાવીશું. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 62(5)માં આ માટેની જોગવાઈ છે.
તેના પર જસ્ટિસ સીટી રવિકુમારે કહ્યું કે આ અપવાદ ત્યારે છે જ્યારે તમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોય. પછી તમે કરી શકો છો, જો તમે પોલીસ કસ્ટડીમાં હોવ તો તમે તેના હકદાર બની શકો છો, પરંતુ અહીં તમે ન્યાયિક કસ્ટડીમાં છો. જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કહ્યું “જ્યારે તમારી ધરપકડ કરવામાં આવી. આ તારીખ સંબંધિત છે. જો તમને તમારો મત આપવાથી રોકવા માટે ધરપકડ કરવામાં આવી હોય તો તે અલગ છે.” એસજી તુષાર મહેતાએ જણાવ્યું કે “2021માં એકની ધરપકડ કરવામાં આવી હતી.”
અરોરાએ કહ્યું કે “જો હું સામાન્ય નાગરિક હોત તો મને મત આપવા માટે મશીનરી માગવાનો અધિકાર ન હોત, પણ હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું. અમે બંને લાખો મતદારોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. લાખો લોકોએ અમને કાયદો બનાવવાનો અધિકાર આપ્યો છે. અમે તે લાખોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમને મતદાન કરતા રોકવા ન જોઈએ.”
મીનાક્ષી અરોરાએ કહ્યું કે “આ અમારો બંધારણીય અધિકાર છે. કોર્ટે તરત જ કહ્યું કે આ એક વૈધાનિક અધિકાર છે.” તેના પર મીનાક્ષી અરોરાએ કહ્યું કે “વોટ આપવાનો અધિકાર આપણો મૂળભૂત અધિકાર ન હોઈ શકે, પરંતુ તે બંધારણીય અધિકાર છે.” અરોરાએ કહ્યું કે “તેમને પણ તિહાર જેલમાંથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપવા લાવવામાં આવ્યા હતા.” કોર્ટે કહ્યું કે “તે સંજોગો અને તથ્યો પર નિર્ભર કરે છે કે ચૂંટણીમાં વોટનું મૂલ્ય શું હશે?”