06 October, 2022 12:38 PM IST | Karnatak | Gujarati Mid-day Online Correspondent
સોનિયા ગાંધી (ફાઈલ તસવીર)
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Congress Leader Sonia Gandhi) ગુરુવારે કર્ણાટકના (Thursday Karnataka) માંડ્યામાં `ભારત જોડો યાત્રા`માં (Bharat Jodo Yatra) સામેલ થયાં અને રાહુલ ગાંધી (Rahul Gandhi) તથા અન્ય `ભારતીય યાત્રીઓ` સાથે પદયાત્રા કરી. સોનિયા ગાંધીએ (Sonia Gandhi) માંડ્યા જિલ્લાના ડાક બંગલા વિસ્તારમાંથી પદયાત્રાની શરૂઆત કરી. તેઓ પહેલીવાર `ભારત જોડો યાત્રા`માં સામેલ થયાં. સોનિયા ગાંધીનું કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાક મહિના પહેલા માંડ્યામાં પદયાત્રા કરવું આ કારણે પણ મહત્વપૂર્ણ છે કે તે દેવગૌડા પરિવારનું વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે.
સોનિયા ગાંધી આ યાત્રામાં જોડાયા ત્યારે પુત્ર રાહુલ ગાંધીએ તેમના પગ પખાળ્યા હતા. આ દરમિયાનનો વીડિયો કૉંગ્રેસ પાર્ટીએ શૅર કરતાની સાથે મા એવું કૅપ્શન પણ આપ્યું છે.
કૉંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, "આ ઐતિહાસિક ક્ષણ છે કે સોનિયા ગાંધીજી આ યાત્રામાં સામેલ થયાં છે. આથી પાર્ટી કર્ણાટકમાં વધુ મજબૂત બનશે." રાહુલ ગાંધી અને કૉંગ્રેસના અનેક અન્ય નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ છેલ્લે સાત સપ્ટેમ્બરના તામિલનાડુના કન્યાકુમારીમાંથી `ભારત જોડોય યાત્રા`ની શરૂઆત કરી હતી. હાલ યાત્રા કર્ણાટકમાં છે. યાત્રાનું સમાપન આવતા વર્ષની શરૂઆતમાં કશ્મીરમાં થશે. આ યાત્રા હેઠળ કુલ 3,570 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીના ભાષણ આપતા ફોટો પર સ્વરા ભાસ્કરે કર્યું ટ્વીટ, શાયરી લખી આપ્યું સમર્થન
પાર્ટીએ રાહુલ સહિત તે 119 નેતાઓને `ભારત યાત્રી` નામ આપવામાં આવ્યું છે, જે પદયાત્રા કરતા કાશ્મીર સુધી જશે. આ લોકો 3,570 કિલોમીટરનું ચોક્કસ અંતર કાપશે. કૉંગ્રેસનું માનવું છે કે આ યાત્રા પાર્ટી માટે સંજીવનીનું કામ કરશે.