20 November, 2019 06:47 PM IST | Mumbai Desk
શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં પોતાની જગ્યા બદલાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સંજય રાઉતે રાજ્યસભાના ચેરમેન એમ વૈંકેયા નાયડૂને પત્ર લખીને કહ્યું કે આ નિર્ણય જાણીજોઇને શિવસેનાની ભાવનાઓને ઇજા પહોંચાડવા અને પાર્ટીનો અવાજ દબાવવા માટે લેવામાં આવ્યો છે.
સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે હું આ બિનજરૂરી રીતે ઉઠાવેલા આ પગલાના કારણને સમજી નથી શકતો કારણ કે એનડીએથી અલગ થવાને લઈને કોઇપણ ઔપચારિક જાહેરાત નથી કરી. આ નિર્ણયે સદનની ગરિમાને પ્રભાવિત કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે મને પહેલી, બીજી કે ત્રીજી પંક્તિની સીટ આપવામાં આવે અને સદનની શિષ્ટતા પણ કાયમ રાકી શકાય.
આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...
સંજય રાઉતે સંસદથી બહાર કહ્યું કે મહારાષ્ટ્રમાં જલ્દી સરકાર બનવાની છે. તો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નવી-નવી પદ્ધતિઓ લોકોને લલચાવવાના પ્રયત્નો કરે છે, તો આને બરતરફકરતાં રાઉતે કહ્યું કે તે ષડયંત્ર રચી રહ્યા છે, જે શિવસેનાની સરકાર બનતાં નથી જોવા માગતા. આ પૂછવા પર કે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે? રાઉતે કહ્યું, "ખેડૂતોની ભલાઈ માટે તે કોઈની પણ સાથે જઈને મળી શકે છે."