રાજનાથ સિંહે સિયાચિનમાં જવાનોના શહિદ થવા પર દુખ વ્યક્ત કર્યું

19 November, 2019 03:20 PM IST  |  New Delhi

રાજનાથ સિંહે સિયાચિનમાં જવાનોના શહિદ થવા પર દુખ વ્યક્ત કર્યું

રાજનાથ સિંહ

સિયાચિન ગ્લેશિયર પર હિમસ્ખલનના કારણે ચાર ભારતીય જવાન શહિદ થયા હતા અને 2 કુલીના મોત નિપજ્યા હતા. આ દુખદ ઘટના અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે દુખ વ્યક્ત કર્યું હતું. તમને જણાવી દઇએ કે ચીનની સરહદ નજીક ઉત્તર ભાગમાં સોમવારે હિમસ્ખલન થવાના કારણે આ ઘટના બની હતી.

રાજનાથ સિંહે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહએ ટ્વિટ કરીને કહ્યું કે, સિયાચિનમાં હિમસ્ખલનની ઝપટમાં આવવાથી જવાનો અને નાગરિકોના મોત પર ભારે દુ:ખી છું. હું તેમના સાહસ અને રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવા માટે તેમને સલામ કરૂ છું, તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.


તત્કાલ રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી જતાં 2 જવાનોને બચાવી લેવાયા હતા

આ ઘટના બાદ અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, સેનાના 6 જવાનો સાથે એક આઠ લોકોનું જૂથ બપોર પછી લગભગ ત્રણ વાગ્યાની આસપાસ 19 હજાર ફુટની ઉંચાઈ પર થયેલા હિમસ્ખલનની ઝપટમાં આવી ગયા હતા. નજીકની ચોકીથી બચાવ અને રાહત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં સેનાના બે જવાનોનો બચાવ થયો છે. હિમસ્ખલનના કારણે બરફમાં દટાયેલા આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાના સાત લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા.વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, સારામાં સારો પ્રયત્ન કરવા છતાં હાઈપોથર્મિયાના કારણે ચાર જવાનો અને બે લોકોનાં મોત થયા હતા.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

સિયાચિન ગ્લેશિયર પર્વતની શ્રૃખલા 20 હજાર ફુટ પર આવેલી છે

સિયાચિન ગ્લેશિયર કારાકોરમ પર્વતની શ્રૃંખલા 20 હજાર ફુટ પર છેઅને આ દુનીયાનું સૌથી ઉંચો સેનાનો વિસ્તાર છે. શિયાળાનાી સિઝનમાં ત્યાં જવાનોનો સામનો બર્ફથી ભરેલા તોફાનો સાથે થાય છે. તાપમાનનો પારો પણ જવાનોનો દુશ્મન બને છે અને વિસ્તારમાં તાપમાન શૂન્યથી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતુ રહે છે.

national news rajnath singh