12 January, 2022 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમરિંદર સિંહ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amrindar Singh) કોરોના સંક્રમિત થયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કેપ્ટને ટ્વીટ કર્યું કે હું હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવ્યો છું. મેં મારી જાતને ક્વોરન્ટાઈન કરી દીધી છે અને મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે.
6 જાન્યુઆરીએ પટિયાલાના સાંસદ અને કેપ્ટન અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌર પણ કોરોના પોઝિટિવ આવ્યાં હતા. તેણે ટ્વીટ કરીને પણ આ માહિતી આપી હતી. કેપ્ટન અમરિંદર સિંહ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. કેપ્ટનની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને હોકી અને બોલનું ચૂંટણી ચિન્હ મળ્યું છે.
પંજાબમાં સંક્રમણને કારણે નવ લોકોના મોત
પંજાબમાં મંગળવારે કોરોના સંક્રમણને કારણે સાત જિલ્લામાં નવ લોકોના મોત થયા છે. 4593 નવા સંક્રમિત મળી આવ્યા છે. રાજ્યનો ચેપ દર 18.64 ટકા નોંધાયો છે. એક્ટિવ કેસ પણ વધીને 23235 થઈ ગયા છે. પટિયાલા હજુ પણ હોટસ્પોટ છે. અહીં 909 નવા સંક્રમિત મળી આવ્યા છે. ચેપ દર 38.35 ટકા નોંધાયો છે.
પંજાબમાં અત્યાર સુધીમાં 17058126 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 629899 લોકોના રિપોર્ટમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. 589972 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. મંગળવારે નવ મૃત્યુમાંથી, ગુરદાસપુર અને પટિયાલામાં બે-બે, ભટિંડા, મોગા, લુધિયાણા, મોહાલી અને પઠાણકોટમાં એક-એક દર્દી છે.
પટિયાલા ઉપરાંત મોહાલીમાં 703, લુધિયાણામાં 678, અમૃતસરમાં 455, જલંધરમાં 330, ભટિંડામાં 223, ફતેહગઢ સાહિબમાં 161, કપૂરથલામાં 149, ગુરદાસપુરમાં 127, સંગરમાં 117 અને રોપારપુરમાં 117 નવા સંક્રમિત મળી આવ્યા છે.