રાજકોટ: એઈમ્સના શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી

12 February, 2019 07:12 PM IST  | 

રાજકોટ: એઈમ્સના શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી

ફરી એકવાર ગુજરાત પ્રવાસે

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 4 અને 5 માર્ચે ફરી એકવાર ગુજરાત પ્રવાસ આવશે. હાલમાં થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા અને આ દરમિયાન તેમણે વી.એસ હોસ્પિટલની નવી ઈમારતનું ઉદ્ધાટન કર્યું હતું. આ સિવાય તેમને અન્ય ઘણી મહત્વની યોજનાઓનું સિલાન્યાસ કર્યું હતું. આગામી મહિને ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 4 અને 5 માર્ચ વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવશે.

આ પ્રવાસ દરમિયાન તે 4 માર્ચે અમદાવાદમાં ઉમીયા ધામનું શિલાન્યાસ કરશે. 5 માર્ચે રાજકોટમાં મહત્વની યોજના એઈમ્સનું શિલાન્યાસ કરશે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં એઈમ્સને લઈને ચર્ચા થઈ હતી. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહત્વાકાંક્ષી યોજનાનું શિલાન્યાસ કરશે. એઈમ્સને રાજકોટમાં સારવાર ક્ષેત્રે ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

 

આ પણ વાંચો: જે લોકો છે ભ્રષ્ટ, તેમને જ મોદીથી કષ્ટઃPM મોદી

 

લોકસભાની ચૂંટણી નજીકમાં છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ છે ત્યારે કોઈ પણ સંજોગોમાં ગુજરાતની જનતાને નારાજ કરવા માગતા નથી. આ સિવાય પણ ઘણી મહત્વની યોજનાઓનો આધાર મુકશે.

narendra modi Election 2019