PM મોદીનો કોંગ્રેસ પર હુમલો, 60 મહિનામાં તમારા ચોકીદારે કર્યો વિકાસ

29 March, 2019 06:38 PM IST  |  કોરાપુટ

PM મોદીનો કોંગ્રેસ પર હુમલો, 60 મહિનામાં તમારા ચોકીદારે કર્યો વિકાસ

વડાપ્રધાન મોદીએ કરી સભા

વડાપ્રધાન મોદી આજે ઓરિસ્સા, તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાને તેલંગાણાના મહેબૂબનગરમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારો આ ચોકીદાર ફરી એકવાર તમારી વચ્ચે આવ્યો છે. તમારા આશીર્વાદથી મે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી છે. મે તમારું જીવન સરળ કરવા માટે દિવસ રાત એક કર્યા છે.

મારા પર વિરોધીઓના હુમલા બાદ તમારા આશીર્વાદના કારણે જ હું ટકી રહ્યો. મારા સંકલ્પને ડગવા ન દીધો. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પર હુમલો કરતો તેમણે કહ્યું કે તમે તમામ લોકોનું શાસન જોયું છે અને આ ચોકીદારનું પણ. વિકાસના અનેક એવા કામ આ 60 મહીનામાં કરવામાં આવ્યા છે તે દાયકાઓથી લટકેલા હતા. હજી પણ અનેક એવા કામો કરવાના છે.

આ પણ વાંચોઃ PM મોદીએ આપ્યો ઈન્ટરવ્યૂ- કહ્યું દેશની જનતાએ મન બનાવ્યું છે, ભાજપને મળશે બહુમતિ

આ પહેલા પીએમ મોદીએ ઓરિસ્સાના કોરાપુટમાં જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર હુમલો ચાલુ રાખ્યો. ઓરિસ્સાના કોરાપુટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારા તમામ જનતા જનાર્દનનો આશીર્વાદ મેળવવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. 2014માં જ્યારે ઓરિસ્સા આવ્યો ત્યારે કહ્યું હતું કે પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરીશ અને મેં તેમાં કોઈ કસર નથી છોડી.

narendra modi orissa andhra pradesh telangana bharatiya janata party Loksabha 2019