04 July, 2020 04:55 PM IST | | Gujarati Mid-day Online Correspondent
કોલકાતા એરપોર્ટની ફાઈલ તસવીર
કોલકાતા માટે દિલ્હી, મુંબઈ, નાગપુર, ચેન્નઇ, અમદાવાદ અને પુણેથી 6 થી 19 જુલાઇ સુધી વિમાન સેવા બંધ કરવામાં આવી છે. 14 દિવસ માટે તમામ ફદલઈટ્સ બંધ કરવામાં આવી છે. આ બાબતે કોલકાતા એરપોર્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
વિમાન સેવા બંધ કરવાનો નિર્ણય શા કારણે લેવામાં આવ્યો છે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામા આવી નથી. જોકે અગાઉ બંગાળ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક ફ્લાઇટ્સ બંધ કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. તેથી શક્યતા છે કે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામા આવ્યો હોય.