13 May, 2021 01:21 PM IST | New Delhi | Agency
પ્રિયંકા ગાંધી વાડ્રા
કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૧૨ એપ્રિલે વૅક્સિનેશન ડે ઊજવવા બદલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ફક્ત ૩૦ દિવસમાં વૅક્સિનેશનનું પ્રમાણ ૮૨ ટકા ઘટી ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક ઘરે જઈને વૅક્સિન નહીં અપાય તો કોરોના સામે લડત મુશ્કેલ છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભારત વૅક્સિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. બીજેપીએ ૧૨ એપ્રિલે વૅક્સિન ડે ઊજવ્યો. વડા પ્રધાન મોદીજીએ તો વૅક્સિનના કારખાનામાં જઈને તેમના ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા, પરંતુ વાયલ્સની પૂરતી વ્યવસ્થા ન કરી. તેથી ૩૦ દિવસમાં વૅક્સિનેશનનું પ્રમાણ ૮૨ ટકા ઘટી ગયું હતું.’