06 December, 2019 12:18 PM IST | New Delhi
ગઈ કાલે સંસદભવનના પ્રાંગણમાં કાંદાના વધતા ભાવનો વિરોધ કરતાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ. તસવીર : પી. ટી. આઈ.
કાંદાની વધતી જતી કિંમતના કારણે મોદી સરકાર પર સતત આકરા પ્રહાર થઈ રહ્યા છે અને બીજી બાજુ તેમના પ્રધાનો ગમે તેમ નિવેદનો આપી રહ્યાં છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પછી હવે મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેએ પણ એવું જ નિવેદન આપ્યું છે કે તેઓ કાંદા નથી ખાતા એટલે એની કિંમત વિશે કઈ કહી શકે એમ નથી.
આ પણ વાંચો : હૈદરાબાદની જેમ ઉન્નાવમાં પણ રેપ પીડિતાને જીવતી બાળવાનો પ્રયાસ
અશ્વિની ચૌબેએ કહ્યું છે કે હું શાકાહારી છું, ક્યારેય કાંદા નથી ખાધા એથી મારા જેવા માણસોને કાંદાના ભાવ વિશે શું ખબર હોય. કેન્દ્રીય પ્રધાને નાણાપ્રધાનના નિવેદનનો પક્ષ લેતાં એવું કહ્યું કે તેમણે કોઈ વિવાદીત નિવેદન નથી આપ્યું અને તેમણે સંસદમાં જણાવ્યું પણ છે કે સરકારે આ વિશે શું પગલાં લીધાં છે.