23 September, 2021 07:43 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પક્ષના જૂથ નેતા શરદ રણપિસેનું ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે.
પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, 71 વર્ષીય રણપિસેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર કોંગ્રેસે ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે “કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદના જૂથ નેતા શરદ રણપિસેના નિધનથી કોંગ્રેસ પક્ષને ભારે ફટકો પડ્યો છે. કોંગ્રેસે એક અભ્યાસુ વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.”
ઉલ્લેખનીય છે કે રણપિસે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર અને જિલ્લાના પાર્વતી મતવિસ્તારમાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેઓ એમએલસી અને રાજ્ય વિધાન પરિષદમાં કોંગ્રેસ જૂથ નેતા હતા.