‘માઘ મેળા’માં પુષ્પવર્ષા વચ્ચે લાખો લોકોએ ગંગામાં ડૂબકી લગાવી

22 January, 2023 10:25 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

દરમ્યાનમાં મેળાના ઍડ‍્મિનિસ્ટ્રેશને હેલિકૉપ્ટરથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા પણ કરી હતી

તસવીર સૌજન્ય: પીટીઆઈ

પ્રયાગરાજમાં ગઈ કાલે ‘માઘ મેળા’ દરમ્યાન મૌની અમાવસ્યાના પ્રસંગે ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી રહેલા હિન્દુ શ્રદ્ધાળુઓ. તૃ​તીય સ્નાન પર્વ મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હતી. દરમ્યાનમાં મેળાના ઍડ‍્મિનિસ્ટ્રેશને હેલિકૉપ્ટરથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા પણ કરી હતી. પ્રયાગરાજના મંડળાયુક્ત વિજય વિશ્વાસ પંતે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યાથી ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું.

national news india