Lakhimpur Kheri violence case: વધુ એક આરોપીની ધરપકડ, ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

12 October, 2021 08:03 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

ભારતીની ધરપકડ સાથે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવીર

પોલીસે મંગળવારે લખીમપુર ખેરી હિંસાના સંદર્ભમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

વરિષ્ઠ ફરિયાદી અધિકારી એસપી યાદવે કહ્યું કે “તેમણે શેખર ભારતીની 14 દિવસની પોલીસ કસ્ટડી માંગી છે અને આ સંદર્ભે સુનાવણી બુધવારે થશે.”

અધિકારીએ જણાવ્યું કે ભારતીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ભારતીની ધરપકડ સાથે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

અગાઉ તેમણે હિંસાના સંબંધમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા, લવકુશ અને આશિષ પાંડેની ધરપકડ કરી હતી, જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

એસપી યાદવે કહ્યું કે બે લોકો-અંકિત દાસ અને લતીફે સીજેએમ કોર્ટમાં આત્મસમર્પણ માટે અરજીઓ દાખલ કરી  હતી.

national news uttar pradesh Crime News