12 October, 2021 08:03 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
પોલીસે મંગળવારે લખીમપુર ખેરી હિંસાના સંદર્ભમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.
વરિષ્ઠ ફરિયાદી અધિકારી એસપી યાદવે કહ્યું કે “તેમણે શેખર ભારતીની 14 દિવસની પોલીસ કસ્ટડી માંગી છે અને આ સંદર્ભે સુનાવણી બુધવારે થશે.”
અધિકારીએ જણાવ્યું કે ભારતીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
ભારતીની ધરપકડ સાથે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
અગાઉ તેમણે હિંસાના સંબંધમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા, લવકુશ અને આશિષ પાંડેની ધરપકડ કરી હતી, જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.
એસપી યાદવે કહ્યું કે બે લોકો-અંકિત દાસ અને લતીફે સીજેએમ કોર્ટમાં આત્મસમર્પણ માટે અરજીઓ દાખલ કરી હતી.