09 April, 2021 11:03 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
પિનરાઈ વિજયન
કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની કોરોના વાઇરસની ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી ગઈ કાલે કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. હાલમાં તેઓ તેમના વતનના ગામ કન્નુરમાં છે તથા તેમનામાં રોગનાં વિશેષ લક્ષણો જણાઈ નથી રહ્યાં. પાછળથી તેમને કોઝીકોડ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હાલમાં તેઓ સ્વ-નિરીક્ષણમાં છે એમ તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું.