કડક પગલાંથી ત્રીજી લહેર ટાળી શકાશે: વિજય રાઘવન

08 May, 2021 10:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારના વિજ્ઞાન વિભાગના મુખ્ય સલાહકારે ગઈ કાલે કહ્યું હતું

કે. વિજય રાઘવન

દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર અનિવાર્ય છે એવું બે દિવસ પહેલાં કહેનાર કેન્દ્ર સરકારના વિજ્ઞાન વિભાગના મુખ્ય સલાહકાર કે. વિજયરાઘવને ગઈ કાલે કહ્યું હતું કે જો બીજી લહેર દરમ્યાન સંક્રમણના ફેલાવાને બનેએટલો ઓછો કરવા કડક પગલાં લેવામાં આવશે તો દેશમાં આ મહામારીની ત્રીજી લહેર આવશે જ નહીં. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક સ્તરે માર્ગદર્શિકાઓનો કેવો અને કેટલો અમલ થાય છે એના પર બધો આધાર છે.’

coronavirus covid19 national news