અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ

14 March, 2021 12:05 PM IST  |  Jammu

અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ

અમરનાથ યાત્રા

આ વર્ષની અમરનાથ યાત્રા ૨૮ જૂનથી શરૂ કરવાનો નિર્ણય શ્રી અમરનાથ શ્રાઇન-બોર્ડની ગઈ કાલે યોજાયેલી મીટિંગમાં લેવામાં આવ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને કારણે ગયા વર્ષે અમરનાથની યાત્રા રદ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે ૨૮ જૂનથી આ યાત્રા શરૂ કરવાનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી ગવર્નર મનોજ સિંહાના પ્રમુખપદે યોજાયેલી મીટિંગમાં લેવાયો હતો. અમરનાથ યાત્રા ૨૮ જૂનથી શરૂ થઈને રક્ષાબંધન સુધી ચાલશે. યાત્રિકોની યાત્રા સુખરૂપ થાય એ માટે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા વ્યાપક પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે, જેમાં યાત્રાળુઓના ખાવા-પીવાથી માંડીને બસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત યાત્રાળુઓની સુરક્ષા માટે સુરક્ષા દળ પણ તહેનાત કરવામાં આવે છે. આ યાત્રાની અસર જમ્મુ-કાશ્મીરના વેપાર પર પણ પડતી હોવાથી તેઓ પણ આ યાત્રાની રાહ જોતા હોય છે.

jammu and kashmir national news