આ વર્ષે ઍરલાઇન્સ વિમાનોમાં ૧૮૩ ટે​​​ક્નિકલ ખામીઓ નોંધાઈ છે : સરકાર

29 July, 2025 10:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૨૪માં આ સંખ્યા ૪૨૧ હતી જે ૨૦૨૩માં નોંધાયેલા ૪૪૮ કરતાં ઓછી હતી. ૨૦૨૨માં ટે​ક્નિકલ ખામીઓની સંખ્યા ૫૨૮ અને ૨૦૨૧માં ૫૧૪ નોંધાઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઍરલાઇનોનાં વિમાનોમાં આ વર્ષે ૧૮૩ ટે​ક્નિકલ ખામીઓ નોંધાઈ હતી, આ આંકડા ૨૩ જુલાઈ સુધીના હોવાનું સરકારે સોમવારે જણાવ્યું હતું.

૨૦૨૩ની સાથે સરખામણી કરવામાં આવે તો ૨૦૨૪માં ટે​ક્નિકલ ખામીઓમાં લગભગ ૬ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૪માં આ સંખ્યા ૪૨૧ હતી જે ૨૦૨૩માં નોંધાયેલા ૪૪૮ કરતાં ઓછી હતી. ૨૦૨૨માં ટે​ક્નિકલ ખામીઓની સંખ્યા ૫૨૮ અને ૨૦૨૧માં ૫૧૪ નોંધાઈ હતી.

નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન (જૂન ૨૦૨૫ સુધી) નોંધાયેલી ગંભીર ખામીઓ સામે કુલ ૨૦૯૪ તપાસ હાથ ધરવામાં આવી હતી.

india indian government airlines news national news news tech news aircraft accident investigation bureau of india AAIB