20 August, 2025 06:54 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય પીટીઆઈ
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે ઉચ્ચતમ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે `ઇન્ડિયા` ગઠબંધનના ઉમેદવાર હશે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. સુપ્રીમ કૉર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડી વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ આ માહિતી આપી. બી સુદર્શન રેડ્ડી ભારતના સૌથી સન્માનિત કાયદાવિદમાં સામેલ છે. તે સુપ્રીમ કૉર્ટના જજ પણ રહી ચૂક્યા છે, આ સિવાય ગુવાહાટી અને આંધ્ર ઉચ્ચ ન્યાયાલયના પણ જજ રહ્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું કે ગઠબંધને સર્વસંમતિથી બી સુદર્શન રેડ્ડીનું નામ નક્કી કર્યું છે. તેમનો મુકાબલો એનડીએ ગઠબંધનના સીપી રાધાકૃષ્ણન સાથે થશે. બી સુદર્શન રેડ્ડી આંધ્ર પ્રદેશ હાઈકૉર્ટના વરિષ્ઠ અધિવક્તાના પ્રતાપ રેડ્ડીના અધીન સિવિલ અને સંવિધાનિક મામલે પ્રૅક્ટિસ શરૂ કરી હતી. 8 ઑગસ્ટ 1988ના રેડ્ડીને હાઈ કૉર્ટમાં સરકારી વકીલ નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓ કેન્દ્ર સરકારના વધારાના સ્થાયી વકીલ બન્યા.
જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીનું કરિઅર
જસ્ટિસ રેડ્ડીને 12 જાન્યુઆરી 2007ના ભારતના સુપ્રીમ કૉર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.
તેઓ 8 જુલાઈ 2011ના આ પદથી સેવાનિવૃત્ત થયા.
બી સુદર્શન રેડ્ડીને 5 ડિસેમ્બર 2005ના ગુવાહાટી હાઈકૉર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રેડ્ડીનો જન્મ 1946માં ભારતીય રાજ્ય આંધ્ર પ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના તત્કાલીન ઈબ્રાહિમપટનમ તાલુકાના અકુલા માયલારામ ગામમાં એક કૃષક પરિવારમાં થયો હતો.
બી સુદર્શન રેડ્ડીએ હૈદરાબાદમાં શિક્ષણ મેળવ્યું અને 1971માં ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી લૉની ડિગ્રી મેળવી.
બી સુદર્શન રેડ્ડીએ માર્ચ 2013માં પહેલા ગોવા લોકાયુક્ત તરીકે પદભાર સંભાળ્યો અને ઑક્ટોબર 2013માં ખાનગી કારણો થકી પદ પરથી રાજીનામું આપી દીધું.
૮ જુલાઈ ૧૯૪૬ના રોજ જન્મેલા બી સુદર્શન રેડ્ડી ગોવાના પ્રથમ લોકાયુક્ત રહ્યા છે. સુદર્શન રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના અકુલા મૈલારામ ગામમાં થયો હતો. શરૂઆતના અભ્યાસ પછી, બી સુદર્શન રેડ્ડી ૧૯૭૧માં હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા. ૧૯૯૩માં, બી સુદર્શન રેડ્ડી આંધ્રપ્રદેશ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ઓસ્માનિયા યુનિવર્સિટીના કાનૂની સલાહકાર પણ રહ્યા.
બી સુદર્શન રેડ્ડી ૧૨ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ સુપ્રીમ કોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા અને ૮ જુલાઈ ૨૦૧૧ના રોજ નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી, તેમણે માર્ચ ૨૦૧૩માં ગોવાના પ્રથમ લોકાયુક્ત તરીકેનો કાર્યભાર સંભાળ્યો. જોકે, ઓક્ટોબર ૨૦૧૩માં, તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું.
મમતા બેનર્જીનો પ્રભાવ
સૂત્રોનો દાવો છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની પસંદગીમાં વિપક્ષી ભારત ગઠબંધનમાં મમતા બેનર્જીનો પ્રભાવ પ્રબળ હતો. મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓ આ સ્પર્ધા તમિલ વિરુદ્ધ તમિલ બનાવવા તૈયાર નહોતા. ઉપરાંત, તેમણે ઉમેદવારો તરીકે બિન-રાજકીય ચહેરાઓ રાખવા કહ્યું હતું. ટીએમસીએ કહ્યું કે જો વિપક્ષ પણ તમિલ ઉમેદવારને આગળ લાવે છે, તો તે ભાજપ વિરુદ્ધ ડીએમકે બનશે. વિપક્ષી પક્ષોની યાદીમાં ઘણા નામ હતા. શરદ પવારની એનસીપીએ મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીનું નામ આપ્યું હતું, જેના પર કોઈ સર્વસંમતિ નહોતી. આ ઉપરાંત, ડીએમકેના વરિષ્ઠ નેતા તિરુચી શિવ અને ભૂતપૂર્વ ઇસરોના વૈજ્ઞાનિક અન્નાદુરાઈના નામો પર વિચાર કરવામાં આવ્યો હતો. જી સુદર્શન રેડ્ડી એક બિન-રાજકીય વ્યક્તિત્વ છે. તેઓ અગાઉ સુપ્રીમ કોર્ટમાં આદરણીય ન્યાયાધીશ રહી ચૂક્યા છે.