બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

03 May, 2019 10:01 AM IST  |  નવી દિલ્હી

બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

કોણ બનશે વડાપ્રધાન?

બીજેપીના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવો આશ્ચર્યકારક સંકેત આપ્યો છે કે બીજેપી 230થી ઓછી બેઠક જીતે તો શક્ય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન પણ બને. વધુમાં તેમણે નીતિન ગડકરીને આ પદ માટે યોગ્ય ગણાવ્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે ‘માની લો કે બીજેપી 220 કે 230 બેઠક જીતે છે અને એનડીએ સહયોગીઓને ૩૦ બેઠક મળે છે તો આ આંકડો 25૦ સુધી પહોંચે છે, પરંતુ એ પછી પણ અમારે ૩૦ બેઠકની જરૂર પડશે.’

આ પણ વાંચોઃ અમદાવાદ બાદ સુરતથી રાહુલ ગાંધીને સમન્સ બજાવવાના આદેશ

આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહેશે એના જવાબમાં સ્વામીએ કહ્યું હતું કે એ સહયોગીઓ પર નિર્ભર છે કે એ અમને 3૦ કે 4૦ બેઠક આપશે. જો સહયોગી મનાઈ કરે તો અમે તેમને સ્વીકારી શકીએ નહીં.

Loksabha 2019 narendra modi subramanian swamy nitin gadkari