અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન પોલીસથી ભૂલથી ગોળીબાર થયો, અનેક નેતાઓ હતા સામે

30 January, 2026 03:05 PM IST  |  Baramati | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારનું બે દિવસ પહેલા એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. બારામતી ઍરપોર્ટ પાસે ઉતરતી વખતે અજિત પવારનું વિમાન ક્રૅશ થયું હતું. આમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ અને અજીત પવાર (તસવીર: સોશિયલ મીડિયા)

બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવાર પર રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અગ્નિસંસ્કાર દરમિયાન અજિત પવારને રાજ્ય સન્માન આપવામાં આવ્યું હતું. અજિત પવારને સલામી તરીકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે, એક પોલીસકર્મીએ ભૂલથી ગોળીબાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ત્યાં કોણ હાજર હતું?

અહેવાલ આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ અજિત પવારને અંતિમ સલામી આપી રહી હતી. પોલીસ દ્વારા સલામી આપતી વખતે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે, આગળની લાઇનમાં પોલીસે પ્રથમ રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી, બીજા રાઉન્ડ ફાયરિંગ દરમિયાન પોલીસની બંદૂક ખોટી રીતે ફાયર થઈ ગઈ. સદનસીબે, બંદૂકમાંથી નીકળેલી ગોળીથી કોઈને ઇજા થઈ ન હતી. આ ખૂબ જ ખતરનાક બન્યું હોત. કારણ કે અજીત પવારના પુત્રો તેમને અગ્નિ દાહ આપી રહ્યા હતા. આ સમયે, અનેક મહાનુભાવો ત્યાં હાજર હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ત્યાં હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને અન્ય પક્ષોના નેતાઓ ત્યાં હાજર હતા. પરંતુ સદનસીબે, કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

અજીત પવારના વિમાન અકસ્માતમાં મૃત્યુ

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારનું બે દિવસ પહેલા એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. બારામતી ઍરપોર્ટ પાસે ઉતરતી વખતે અજિત પવારનું વિમાન ક્રૅશ થયું હતું. આમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના મહારાષ્ટ્ર માટે મોટો આઘાત સમાન છે. કોઈ પણ માની શકતું નથી કે અજિત પવાર હવે નથી. કારણ કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક થશે. બુધવારે સવારે અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. ગઈ કાલે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે, મોટી સંખ્યામાં લોકોએ આંખોમાં આંસુ સાથે તેમના પ્રિય નેતાને વિદાય આપી હતી.

અજિતદાદા અમર રહે... અજિતદાદા પરત યા... બારામતીની જનતાએ અંતિમ વિદાય આપી તેમના નેતાને

બારામતીમાં દાદા (મોટા ભાઈ) તરીકે જાણીતા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારના ગઈ કાલે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન કૉલેજ ગ્રાઉન્ડમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કૉલેજની સ્થાપના પવાર પરિવાર દ્વારા કરવામાં આવી છે. હજારો લોકો અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા હતા. અજિત પવારના પુત્રો પાર્થ અને જય, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, BJPના પ્રમુખ નીતિન નબીન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. અજિત પવારના કાકા શરદ પવાર ગમગીની સાથે શાંતિથી બેઠા હતા.

ajit pawar baramati amit shah nationalist congress party maharashtra news devendra fadnavis plane crash