06 October, 2022 10:19 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શ્રીનગર (પી.ટી.આઇ.) : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગઈ કાલે સુરક્ષાદળો સાથેની અથડામણની બે જુદી-જુદી ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ મરાયા હતા. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે ટ્વિટર પર આ જાણકારી આપી હતી. જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી શોપિયાંના દ્રાચ વિસ્તારમાં અને લશ્કર-એ-તય્યબાનો એક આતંકવાદી દિક્ષણ કાશ્મીર જિલ્લાના મૂલુ વિસ્તારમાં મરાયો હતો.
દ્રાચમાં હાથ ધરાયેલા ઑપરેશનમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ હનન બીન યાકુબ અને જમશેદ તરીકે કરાઈ હોવાનું જણાવી વિજય કુમારે કહ્યું હતું કે આ બન્ને આતંકીઓ બીજી ઑક્ટોબરે પુલવામાના પિંગલાના ખાતે સ્પેશ્યલ પોલીસઑફિસર (એસપીઓ) જાવેદ ડારની હત્યામાં અને
૨૪ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના એક પ્રવાસી શ્રમિકની હત્યામાં સંડોવાયેલા હતા.