13 April, 2026 11:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના ભૂતપૂર્વ ડિરેક્ટર અને હોરાસિસના અધ્યક્ષ ફ્રૅન્ક-જુર્ગેન રિક્ટર
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના ભૂતપૂર્વ ડિરેક્ટર અને હોરાસિસના અધ્યક્ષ ફ્રૅન્ક-જુર્ગેન રિક્ટરે જણાવ્યું હતું કે ભારતમાં BJPની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં રેડ ટેપ અને ભ્રષ્ટાચાર ઓછો થઈ રહ્યો છે. જ્યારથી આ સરકાર સત્તામાં છે ત્યારથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. એ વૈશ્વિક રોકાણ માટે દેશને વધુ ને વધુ આકર્ષક સ્થળ બનાવે છે.
દિલ્હીમાં એક વાતચીતમાં રિક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાઓ સરળ અને વધુ કાર્યક્ષમ બનવા સાથે વ્યાવસાયિક વાતાવરણમાં નોંધપાત્ર સુધારાઓ થયા છે. ભારતે આ માર્ગ પર આગળ વધવું જોઈએ અને એની અર્થવ્યવસ્થાને ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માટે વધુ ખોલવી જોઈએ.