ભારત-બ્રિટન વચ્ચેની ફ્લાઇટ્સ ૭ જાન્યુઆરી સુધી સ્થગિત

31 December, 2020 02:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત-બ્રિટન વચ્ચેની ફ્લાઇટ્સ ૭ જાન્યુઆરી સુધી સ્થગિત

પ્રતીકાત્મક તસવીર

ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ સાતમી જાન્યુઆરી સુધી સ્થગિત રહેશે અને ત્યાર બાદ પણ તે સખત નિયંત્રણ હેઠળ ફરી શરૂ કરાશે એમ ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ સિંહ પુરીએ ગઈ કાલે જણાવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા પ્રકારને ધ્યાનમાં રાખી ગયા અઠવાડિયે ૨૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ભારત અને યુરોપિયન દેશો વચ્ચેની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી.

national news india british airways