પાલઘરના દહાણુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 5 લોકો ઈજાગ્રસ્ત

17 June, 2021 02:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુરુવારે પાલઘરના દહાણુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રતીકાત્મક ફોટો

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરુવારે ફટાકડા બનાવનાર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. યુનિટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બનતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 

 ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ટીન તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. 

 પાલઘર જિલ્લાના કલેક્ટરે  જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.  

maharashtra palghar dahanu