પુલવામા એન્કાઉન્ટરઃ અથડામણમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

16 May, 2019 11:44 AM IST  |  પુલવામા

પુલવામા એન્કાઉન્ટરઃ અથડામણમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

જમ્મૂ કશ્મીરમાં ફરી એકવાર અથડામણ

જમ્મૂ-કશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની મુઠભેડમાં 3 આતંકી ઠાર મારવામાં આવ્યા છે. આ મુઠભેડમાં એક જવાન શહીદ થયા હોવાના પણ સમાચાર છે. જાણકારી અનુસાર, પુલવામાના ડાલીપોરા વિસ્તારમાં આ મુઠભેડ થઈ રહી છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. સેનાએ આખા વિસ્તારમાં ઘેરાબંધી કરી કર્ફ્યૂ લગાવ્યો છે.

જમ્મૂ-કશ્મીરના પુંછ જિલ્લામાં બુધવારે LOC પાસે એક સુરંગમાં વિસ્ફોટમાં સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો. મેંઢર જિલ્લાના દબાસી જિલ્લામાં આ ઘટના બની.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃસરહદી અરનિયા વિસ્તારમાંથી પકડાયું પાકિસ્તાની કબૂતર

છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓ કાંઈક વધુ જ સક્રિય નજર આવી રહ્યા છે. એક પછી એક અનેક મુઠભેડ સેના અને આતંકીઓ વચ્ચે થઈ રહી છે. જો કે આ વખતે ઘાટીમાં હિંસક પ્રદર્શનોમાં 60 ટકા ઘટાડો થયો છે. જેના કારણે પેલેટ ગનના વપરાશમાં પણ ઘટાડો થયો છે.

jammu and kashmir terror attack