10 May, 2019 12:32 PM IST | દિલ્હી
અક્ષયકુમાર
અક્ષયકુમાર હવે નવા વિવાદમાં સંડોવાયા છે. પહેલા મત નહીં આપવા મામલે અને કેનેડિયન નાગરિક્તા મામલે અક્ષયકુમાર વિવાદમાં સપડાયા. હવે INS સુમિત્રા પર જવા મામલે અક્ષયકુમાર વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસની સોશિયલ મીડિયાની રણનીતિકાર દિવ્યા સ્પંદનાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. દિવ્યા સ્પંદનાએ પીએમ મોદી પર વળતો પ્રહાર કરીને આ આક્ષેપ કર્યા છે.
સ્પંદનાએ ગુરવારે ટ્વિટ કરીને કહ્યું,'આ બરાબર હતું. તમે કેનેડિયન નાગરિક અક્ષયકુમારને પોતાની સાથે INS સુમિત્રા પર લઈ ગયા હતા.' એક રિપોર્ટ પ્રમાણે અક્ષયકુમારે નેવી ચીફ અને અન્ય VVIP ગેસ્ટ સાથે INS સુમિત્રા પર પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ રાજીવ ગાંધી હત્યાકાંડ:આરોપીઓને છોડી મૂકવાનો વિરોધ કરતી અરજી SCએ ફગાવી
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ પહેલા રાજીવ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ INS વિરાટનો ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હોવાનો પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો.