કુતુબમિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગણી

11 May, 2022 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશભરમાં સાંપ્રદાયિક તનાવની ઘટનાઓ વચ્ચે દિલ્હીમાં ગઈ કાલે હિન્દુ સંગઠનો કુતુબ મિનાર ખાતે આવી પહોંચ્યાં હતાં.

તસવીર: PTI

નવી દિલ્હી ઃ દેશભરમાં સાંપ્રદાયિક તનાવની ઘટનાઓ વચ્ચે દિલ્હીમાં ગઈ કાલે હિન્દુ સંગઠનો કુતુબ મિનાર ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમણે આ આઇકૉનિક સ્મારકને વિષ્ણુ સ્તંભ નામ આપવાની માગણી કરી હતી. 
કુતુબ મિનાર ખાતે ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા વચ્ચે મહાકાલ માનવ સેના અને અન્ય હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રદર્શનકર્તાઓ અહીં હનુમાન ચાલીસા પણ બોલ્યા હતા. 
દરમ્યાનમાં દિલ્હી બીજેપીએ દિલ્હીમાં અકબર રોડ, હુમાયુ રોડ, ઔરંગઝેબ લેન અને તઘલક લેન જેવી જગ્યાઓનાં નામ બદલવાની માગણી કરી હતી, કેમ કે એ તમામ જગ્યાઓનાં નામ મુગલ શાસકોનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે.  

national news new delhi