23 September, 2025 04:21 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ટાગોર ગાર્ડન સ્થિત તિતારપુર રાવણ માર્કેટમાં 70 વર્ષથી રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષના પૂતળાને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. આ વખતે અમેરિકા અને કૅનેડામાંથી રાવણના નાના પૂતળા મોકલવાના ઑર્ડર મળ્યા છે.
ટાગોર ગાર્ડનમાં આવેલા ૭૦ વર્ષથી વધુ જૂના તીતારપુર રાવણ માર્કેટમાં, રસ્તાની બંને બાજુ ફરી એકવાર રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવ્યા છે. તેમને ફાઇનલ ટચ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે, અમેરિકા અને કૅનેડામાં નાના રાવણના પૂતળા મોકલવાના ઑર્ડર મળ્યા છે. જોકે, તેમને મોકલવાનો ખર્ચ પૂતળાની વાસ્તવિક કિંમત કરતાં વધુ હશે.
૫૦ વર્ષથી રાવણના પૂતળા બનાવી રહેલા ૭૬ વર્ષીય મહેન્દ્ર રાવણવાલાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમને વિદેશમાં કોઈ ઑર્ડર મળ્યો ન હતો, પરંતુ આ વખતે તેમને અમેરિકા અને કૅનેડામાં બે રાવણના પૂતળા મોકલવાના ઑર્ડર મળી ગયા છે, બન્ને પૂતળા લગભગ બે થી અઢી ફૂટ ઊંચા છે. પૂતળા કુરિયર દ્વારા મોકલવામાં આવશે; હજુ પણ સમય છે; વધુ ઑર્ડર આવી શકે છે.
૫૦૦ રૂપિયા પ્રતિ ફૂટના ભાવે બનાવ્યો રાવણ
હરિયાણાના સોનીપતના રાયવાલા ગામના કારીગર રાજાએ જણાવ્યું હતું કે સ્થાનિક મોંઘવારીને કારણે રાવણના પૂતળાઓની માંગ ઘટી છે. તેઓ દાયકાઓથી રાવણના પૂતળા બનાવી રહ્યા છે, તેથી આ વખતે પણ તેઓ તેને ફરીથી બનાવી રહ્યા છે. પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. સુભાષે સમજાવ્યું કે તેઓ વર્ષોથી ૫૦૦ રૂપિયા પ્રતિ ફૂટના ભાવે રાવણના પૂતળા બનાવી અને વેચી રહ્યા છે. અહીં ૫ ફૂટથી ૫૦ ફૂટ સુધીના પૂતળા બનાવવામાં આવે છે. ફટાકડા પર પ્રતિબંધ અને પોલીસ તપાસમાં વધારો થતાં, રાવણ બજારમાં રાવણના પૂતળાઓની સંખ્યા ઓછી થઈ ગઈ.
બિહારના ગાંધી મેદાનમાં પણ બનાવવામાં આવે છે રાવણના પૂતળા
વર્ષમાં એક મહિના સુધી ચાલતા આ બજારને બધાનો ટેકો મળવો જોઈતો હતો. અહીં રાવણ બનાવનાર સુભાષને બિહારના ગાંધી મેદાનમાં તેમના કામ માટે સન્માન મળ્યું છે. તે બિહારના સીતામઢીનો છે. દીપક રાયે સમજાવ્યું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી કારીગરો અહીં આવે છે. વધતી મોંઘવારી છતાં, લોકો હજુ પણ રાવણના પૂતળા માટે 500 રૂપિયા પ્રતિ ફૂટ ચૂકવવા તૈયાર છે.
નોંધનીય છે કે, ભલે રાવણને રાક્ષસ અને બૂરાઈનું પ્રતીક માનવામાં આવતો હોય, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાવણની પૂજા થાય છે. ભારદ્વાજ મુનિના આદેશથી ભગવાન રામે રાવણને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં પ્રયાગરાજમાં ગંગાતટે તારી પૂજા થશે. દશેરાના દિવસે રાવણની અંદરના રાક્ષસી ગુણોનું દહન કરવામાં આવે છે, પરંતુ એ પહેલાં પ્રયાગરાજમાં મહારાજા રાવણને હાથી પર બેસાડીને તેમને નગરભ્રમણ કરાવવામાં આવે છે. આ પ્રસંગ ખાસ કરીને રાવણની વિદ્વત્તાને પૂજવા માટે મનાવાય છે.