લૉકડાઉન દરમ્યાન જયપુરની ખાલી સડકો પર હરણોનું ઝુંડ ફરવા નીકળ્યું

29 March, 2020 11:19 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉન દરમ્યાન જયપુરની ખાલી સડકો પર હરણોનું ઝુંડ ફરવા નીકળ્યું

સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરાયું છે. રસ્તાઓ સૂમસામ અને નિર્જન છે. વાહનોનો શોર કે પ્રદૂષણ ગુમ છે. પ્રકૃતિ સાથે ચેડાં કરનાર માનવને કુદરતે એની ભાષામાં જવાબ આપી દીધો છે. જંગલ કાપીને કૉન્ક્રીટનું જંગલ ઊભું કરનારા માનવો આજે પોતાના જ બનાવેલા જંગલમાં કેદ છે, જ્યારે જંગલમાં વસતાં પ્રાણીઓ ફૉર અ ચેન્જ શહેરની ગલીઓમાં લટાર મારતાં જોવા મળે છે. શુક્રવારે રાત્રે જયપુરને અડીને આવેલા જાલનામાં હરણોનું એક ઝુંડ જંગલમાંથી નીકળીને ગલતાગેટ પાસે સૂરજપોલ મંડી તરફના રસ્તા પર ટહેલતું જોવા મળ્યું હતું. પોલીસે હરણાંઓને ફરી જંગલમાં ખદેડ્યાં હતાં.

jaipur national news coronavirus covid19