01 May, 2020 08:34 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
મહારાષ્ટ્રમાં કૂલ 14 રેડ ઝોન્સ છે, 16 ઓરેન્જ ઝોન્સ છે તથા 6 ગ્રીન ઝોન્સ છે.
લૉકડાઉન 2.0 પુરું થવામાં છે અને ગૃહમંત્રાલયે દેશવ્યાપી લૉકડાઉન 2 અઠવાડિયા લંબાવવાની જાહેરાત કરી છે.વિવિધ રાજ્યોમાં ત્યાં કયા શહેરો રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે તેને આધારે ત્યાં ચોક્કસ છૂટ આપવામાં આવશે.યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ દેશમાં 130 જિલ્લો રેડ ઝોનમાં, 284 ઓરેન્જ ઝોનમાં અને 319 ગ્રીન ઝોન તરીકે આઇડેન્ટિફાઇ કર્યા છે. આ નિર્ણયો જે તે જિલ્લામાં નોવેલ કોરોનાવાઇરસનાં કેસિઝ, ઇન્ફેક્શન પ્રસરવાનો દર અને ટેસ્ટિંગ તથા ચકાસણીને આધારે લેવાયા છે.
મહારાષ્ટ્રમાં કૂલ 14 રેડ ઝોન્સ છે, 16 ઓરેન્જ ઝોન્સ છે તથા 6 ગ્રીન ઝોન્સ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કૂલ 10,000 કન્ફર્મ્ડ કેસિઝ આવ્યા છે. ભારતમાં સૌથી વધુ પૉઝિટીવ કેસિઝ મહારાષ્ટ્રમાં જ આવ્યા છે અને સાજા થયેલોનો કૂલ આંકડો 1773 તથા મૃત્યુ આંક 459 પર પહોંચ્યો છે.
મુંબઇ દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, બેંગાલુરુ, અમદાવાદ અને પુનાને રેડ ઝોન જાહેર કરાયા છે. કોઇપણ જિલ્લો ત્યારે જ ગ્રીન ઝોનમાં આવશે જ્યારે છેલ્લા 21 દિવસમાં ત્યાં કોરોના વાઇરસનો કોઇપણ પૉઝિટીવ કેસ ન નોંધાયો હોય.
મુંબઇ
પુના
થાણે
નાસિક
પાલઘર
નાગપુર
સોલાપુર
યવતમાલ
ઔરંગાબાદ
સાતારા
ધૂળે
અકોલા
જલગાંવ
મુંબઇ સબર્બન
રાયગઢ
અહમદનગર
અમરાવતી
બુલધાના
કોલ્હાપુર
નંદુરબાર
હિંગોલી
રત્નાગીરી
જલના
નાંદેદ
ચંદ્રપુર
પરભાણી
સાંગલી
લાતુર
ભંડારા
બીડ
ઉસ્માનાબાદ
વાશિમ
સિંધુદૂર્ગ
ગઢચિરોળી
વર્ધા
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ઝોન અનુસાર જ લૉકડાઉનમાં છૂટછાટ અપાશે અને બહુ સાવચેતી પૂર્વક આ નિર્ણયો લેવાશે. તેમના લાઇવ વેબકાસ્ટમાં તેમણે કહ્યું કે, “મુંબઇ, નાગપુર, ઔરંગાબાદ કે પુના જેવા રેડ ઝોન્સમાં લૉકડાઉન ઉઠાવી લેવું જરાય હિતાવહ નથી અને તેનાથી કોઇને પણ લાભ નહીં થાય. આપણે ગ્રીન ઝોનમાં પણ કોઇ જોખમ ન લઇ શકીએ અને એક પછી એક પગલાં લઇને જ લૉકડાઉનની છૂટછાટ અંગે નિર્ણય લેવાશે.” તેમણે એમ પણ કહ્યું કે, “લોકો લૉકડાઉનને લીધે ભારે હાલાકી ભોગવી રહ્યાં છે અને આપણે લોકોનાં મનમાંથી Covid-19નો ડર કાઢવો જ પડશે.” તેમણે કહ્યું કે લૉકડાઉન સ્પીડ બ્રેકરનું કામ કરી રહ્યું છે અને વાઇરસની ચેન પર તેની ચોક્કસ અસર પડે છે. સતત ટેસ્ટિંગ કરાયા હોવાને કારણે રાજ્યમાં વધુ કેસિઝ જોવા મળ્યા છે. આ સાથે તેમણે લોકોને મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છાઓ પણ આપી હતી.