શ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો

16 January, 2021 12:52 PM IST  |  Ahmedabad

શ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો

ફાઈલ તસવીર

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ પામનાર ભગવાન શ્રી રામના મંદિર માટે અમદાવાદમાં ગઈ કાલથી શરૂ થયેલા નિધિ અભિયાનમાં ૨૦ કરોડથી વધુની રકમનો ફાળો એકઠો થયો હતો.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે ગઈ કાલે યોજાયેલા નિધિ સમર્પણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરીને દાતાઓને ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી.સુરતના ડાયમન્ડના વેપારી અને સમિતિ અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાએ ૧૧ કરોડ અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રૂપિયાનો ફાળો આપ્યો હતો.’

વટવામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા ૧ લાખનો ચેક શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપ્યો હતો.

ayodhya ram mandir ahmedabad gujarat