કપિલ સિબલ અને ગુલામ જેવા કૉન્ગ્રેસી નેતાઓએ BJPમાં જોડાવું જોઈએ:આઠવલે

03 September, 2020 05:56 PM IST  |  Mumbai | Agencies

કપિલ સિબલ અને ગુલામ જેવા કૉન્ગ્રેસી નેતાઓએ BJPમાં જોડાવું જોઈએ:આઠવલે

રામદાસ આઠવલે

કેન્દ્રના પ્રધાન રામદાસ આઠવલેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કપિલ સિબલ અને ગુલામ નબી આઝાદ જેવા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બીજેપીમાં જોડાઈ જવું જોઈએ. હવે નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (એનડીએ)ની સરકાર વારંવાર કેન્દ્રમાં સત્તા પર આવતી રહેશે. હાલના સંજોગોમાં જે પ્રમાણે જ્યોતિરાદિત્ય સિંધિયા કૉન્ગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા એ રીતે કપિલ સિબલ અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓએ પણ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને બીજેપીમાં જોડાવું જોઈએ. લોકસભાની આગામી ચૂંટણીમાં બીજેપી ૩૫૦ બેઠકો જીતશે. જે લોકોએ કૉન્ગ્રેસનું ઘડતર અને વિકાસ કર્યો છે, એવા નેતાઓ પર અન્ય પક્ષ જોડે સાઠગાંઠનો આરોપ મૂકવાનું રાહુલ ગાંધીનું પગલું અયોગ્ય છે.’  

ghulam nabi azad national news bharatiya janata party congress