હૈદરાબાદ રેપ કેસના આરોપીઓને ભર રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઇએ : ચિરંજીવી

02 December, 2019 12:50 PM IST  |  Hyderabad

હૈદરાબાદ રેપ કેસના આરોપીઓને ભર રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઇએ : ચિરંજીવી

ચિરંજીવી

(જી.એન.એસ.) હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગૅન્ગરેપ કરવાની અને ત્યાર બાદ તેને સળગાવી દેવાની ઘટના વિશેનો આક્રોશ સ્પષ્ટ દેખાય છે. બૉલીવુડના સેલેબથી લઈને રાજકારણીઓ સુધીના દરેક લોકો આ સંદર્ભે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. હવે દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ પણ આ મામલે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

તેણે એક વિડિયો-સંદેશમાં કહ્યું કે ‘આ પ્રશંસાની વાત છે કે ટૂંક સમયમાં જ આ ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. હવે તેમને ભર રસ્તા પર ફાંસી આપવી એ એકદમ સાચી રીત છે. આવા લોકોમાં ડર પેદા કરવા માટે જ આવું કરવું જોઈએ એવું લોકો વિચારે છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં બનેલી છોકરીઓ પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ હૃદયસ્પર્શી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

દેશમાં છોકરીઓ માટે અસલામતી અને ભયનો માહોલ છે. એવું લાગી રહ્યું છે જાણે આપણે પુરુષરાક્ષસો વચ્ચે જીવી રહ્યા છીએ. એક પિતા તરીકે હું આ ઘટનાઓને ધ્યાનમાં આવે ત્યારે એની પ્રતિક્રિયા આપું છું. જે લોકો આ પ્રકારના ગુના કરે છે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ. તેમની વચ્ચે ભય ફેલાવવો જોઈએ. તેમને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. આવા ગુનેગારોને વહેલી તકે પકડવા જોઈએ એ ખૂબ મહત્ત્વનું છે. જોકે તેમને વહેલી તકે સજા થવી જોઈએ.’

hyderabad Crime News