ભારતમાં વૉટ્સઍપ-ફેસબુક પર BJP અને RSS ફેક ન્યુઝ ફેલાવે છે : રાહુલ ગાંધી

17 August, 2020 03:45 PM IST  |  New Delhi | Agencies

ભારતમાં વૉટ્સઍપ-ફેસબુક પર BJP અને RSS ફેક ન્યુઝ ફેલાવે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

બીજેપી અને આરએસએસ સોશ્યલ મીડિયા દ્વારા ફેક ન્યુઝ ફેલાવીને કોમવાદી ધિક્કારની લાગણી ફેલાવતા હોવાનો આરોપ કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ મૂક્યો હતો. રાહુલ ગાંધીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રસાર માધ્યમોનો હવાલો આપતાં જણાવ્યું હતું કે ‘બીજેપી અને આરએસએસના લોકોએ ભારતમાં ફેસબુક અને વૉટ્સઍપ પર પ્રભાવ પાથરી રાખ્યો છે એ માધ્યમો દ્વારા તેઓ ફેક ન્યુઝ અને કોમી ધિક્કારની ભાવના ફેલાવે છે. એ માધ્યમોનો ઉપયોગ તેઓ મતદારોને પ્રભાવિત કરવા માટે કરે છે. છેવટે અમેરિકન પ્રસાર માધ્યમોએ ફેસબુકનું સત્ય બહાર પાડ્યું છે.’

national news rahul gandhi rashtriya swayamsevak sangh congress bharatiya janata party whatsapp facebook