07 January, 2020 10:24 AM IST | New Delhi
સોનિયા ગાંધી
દેશની રાજધાની દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં રવિવારે ત્રાટકેલા નકાબપોશ હુમલાખોરોએ મચાવેલી હિંસાને લઈને કૉન્ગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સોનિયા ગાંધીએ સરકારને આડેહાથ લેતા કહ્યું કે આજે દેશમાં યુવકો અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો અને તેમની મજાક બનાવવામાં આવી રહી છે. મોદી સરકારના રાજમાં દેશના યુવકોનો અવાજ દબાવી ગુંડાઓ દ્વારા હિંસાને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : JNU હિંસાઃ દિલ્હી પોલીસે દાખલ કર્યો એફઆઇઆર, વૉર્ડનનું રાજીનામું
વિદ્યાર્થીઓના અવાજથી ડરી ગઈ સરકારઃ રાહુલ ગાંધી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના અવાજથી ડરેલી છે અને આજની ઘટના તેનો પુરાવો છે.