પશ્ચિમ બંગાળમાં PM મોદી આજે કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

02 February, 2019 11:53 AM IST  | 

પશ્ચિમ બંગાળમાં PM મોદી આજે કરશે ચૂંટણી પ્રચારનો શંખનાદ

પશ્ચિમ બંગાળમાં રેલી કરશે પીએમ મોદી

લાંબા સમયથી ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આજે ખુદ વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળના મેદાનમાં ઉતરશે. વડાપ્રધાન મોદી 24 પરગણા જિલ્લા અને ઔદ્યોગિક નજર દુર્ગાપુરમાં રેલીને સંબોધન કરશે. સાથે જ આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરાવશે.

પીએમ મોદી જે બંને જિલ્લામાં સભા કરવાના છે, તેનું રાજકીય મહત્વ વધુ છે. ઠાકુર નગરમાં મતુઆ સમાજની મોટી વસ્તી છે. આ સમાજ મુખ્યત્વે બાંગ્લાદેશમાં આવીને વસેલો છે. પીએમ મોદીની રેલી મતુઆ સંપ્રદાય મહારાણી વીણાપાણિ દેવીના ઘરની નજીક યોજાઈ રહી છે.

આ પણ વાંચોઃવચગાળાનું બજેટ માત્ર ટ્રેઈલરઃ વડાપ્રધાન મોદી

સૂત્રો દ્વારા મળતી માહિતિ પ્રમાણે ઔલ ઈન્ડિયા મતુઆ મહાસંઘ દ્વારા રેલીનું આયોજન કરાઈ રહ્યું છે. દુર્ગાપુરની રેલીનું આયોજન ભાજપના ગણતંત્ર બચાવો કાર્યક્રમ અંતર્ગત થઈ રહ્યું છે. સિલિગુડીમાં 8 ફેબ્રુઆરીએ પીએમ મોદીની ત્રીજી રેલી સિલિગુડીમાં પણ યોજાવાની છે.

narendra modi