J&K: બડગામમાં વાયુસેનાનું Mi-17 વિમાન ક્રેશ, 2 પાયલટ શહીદ

27 February, 2019 02:38 PM IST  | 

J&K: બડગામમાં વાયુસેનાનું Mi-17 વિમાન ક્રેશ, 2 પાયલટ શહીદ

બડગામમાં વાયુસેનાનું વિમાન ક્રેશ

જમ્મુ-કાશ્મીનરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં ભારતીય વાયુસેનાનું MIG ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું. આ એરફોર્સનું Mi-17 ટ્રાન્સપોર્ટ ચોપર છે. વિમાન ક્રેશ થઈને ખેતરમાં જઈને પડ્યું અને તેમાં આગ લાગી ગઈ. દુર્ઘટનાનું કારણ હાલ જાણી શકાયું નથી. આ પ્લેન ક્રેશમાં બંને પાયલટ શહીદ થઈ ગયા છે.

પ્લેન ક્રેશમાં 2 પાયલટ શહીદ થઈ ગયા.

આ ફાઇટલ પ્લેને શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. આ વિમાન ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 20 દિવસમાં ભારતના 5 વિમાન ક્રેશ થયાં છે. બડગામ પહેલાં રાજસ્થાનના પોખરણમાં MIG-27 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. તે સમયે આ વિમાન પ્રશિક્ષણ ઉડાન પર હતું અને જૈસલમેરથી ઉડ્યું હતું. જો કે તે દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળ્યા હતા.

jammu and kashmir indian air force