સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો

20 January, 2020 01:36 PM IST  |  Mumbai Desk

સીએએ ભારતનો આંતરિક મામલો, બંગલા દેશમાં લઘુમતીઓ પર અત્યાચાર નથી થતો

સીએએ-એનઆરસી ભારતનો આંતરિક મામલો છે એવું બંગલા દેશનાં વડાં પ્રધાન શેખ હસીનાનું કહેવું છે. અખાતી દેશના અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ભારત પહેલેથી જ કહેતું રહ્યું છે કે એનઆરસી અમારો આંતરિક મામલો છે. પીએમ મોદીએ પણ મને આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે બંગલા દેશમાં અત્યાચારના કારણે લઘુમતીઓએ પલાયન કર્યું છે એ વાત ખોટી છે. એ જ રીતે ભારતથી કોઈ બંગલા દેશમાં આવ્યું નથી પણ ત્યાંના લોકોને મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે બંગલા દેશની વસ્તી ૧૬ કરોડ છે અને એમાંથી ૧૦ ટકા વસ્તી હિન્દુઓની છે. જ્યારે માત્ર ૦.૦૬ ટકા જ બૌદ્ધ છે.

bangladesh india international news