ખાતેદારના કપાઈ ગયેલા પૈસા બૅન્કે પાછા આપવા જ પડશેઃ આરબીઆઇ

22 September, 2019 03:31 PM IST  |  મુંબઈ

ખાતેદારના કપાઈ ગયેલા પૈસા બૅન્કે પાછા આપવા જ પડશેઃ આરબીઆઇ

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા

મુંબઈ : (જી.એન.એસ.) ઑનલાઇન લેવડ-દેવડ દરમ્યાન બૅન્કના ખાતેદારના પૈસા અટવાયા હોય તો તે પાછા મેળવી આપવા રિઝર્વ બૅન્કે એક નવી જાહેરાત કરી હતી.

એટીએમ દ્વારા પૈસા લેતી વખતે મશીનમાંથી પૈસા ન નીકળે પરંતુ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જાય કે પેમેન્ટ કરતી વખતે કોઈ પ્રકારની ગરબડ થતાં ગ્રાહકના ખાતામાંથી પૈસા જાય તો બૅન્કે આ ટ્રાન્ઝેક્શન થયાના પાંચ દિવસમાં ગ્રાહકના પૈસા પાછા ચૂકવી દેવા પડશે.
આમ થવામાં વિલંબ થાય તો બૅન્કે પોતાના ખાતેદારને રોજના ૧૦૦ રૂપિયા વળતરરૂપે ચૂકવવા પડશે. રિઝર્વ બૅન્કના આ પગલાથી યુટીઆઇ, મની ટ્રાન્સફર, એટીએમ દ્વારા લેવડદેવડ, ઇ-વૉલેટ વગેરેનો નિયમિત વપરાશ કરનારા ખાતેદારોને લાભ થશે. રિઝર્વ બૅન્કે એક નોટિફિકેશન દ્વારા શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાતેદારે કરેલા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાના વળતર રૂપે બૅન્કો માટે આ નોટિફિકેશન તત્કાળ અમલમાં આવે એવી જાહેરાત કરાઈ હતી.
ખાતેદાર આઇએમપીએસ દ્વારા કોઈને ચુકવણી કરે ત્યારે એના ખાતામાંથી પૈસા કપાઈ જાય પરંતુ જેને પૈસા મોકલ્યા હોય એને ન મળે તો માત્ર એક દિવસમાં બૅન્કે ઑટો રિવર્સ કરવાના રહેશે. આમ કરવામાં બૅન્ક નિષ્ફળ જાય તો રોજના ૧૦૦ રૂપિયા દંડરૂપે ખાતેદારને ચૂકવવા પડશે.

reserve bank of india