૯૨ ફુટ ઊંચા મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા થઈ

09 June, 2025 08:38 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.

મુરુગનસ્વામીની પ્રાણપ્રતિષ્ઠા

વેલ્લુર-બૅન્ગલોર નૅશનલ હાઇવે પર વેન્કટપુરમ પાસે તીર્થગિરિ પર્વત પર લગભગ ૧૦૦ વર્ષથી જૂનું સુબ્રમણ્યમસ્વામી મંદિર છે. આ મંદિરની સામે તાજેતરમાં ૯૨ ફુટ ઊંચા વિશાળકાય મુરુગનસ્વામીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મલેશિયામાં સૌથી ઊંચી મુરુગનસ્વામીની પ્રતિમા બનાવનારા શિલ્પકારે જ આ પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો.

bengaluru religion religious places national news news