19 June, 2021 12:28 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર આવવાની અટકળો પણ ચાલી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,753 નવા કેસો નોંધાયા છે. જ્યારે 1647 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,753 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 1647 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,85,137 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 97,743 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, આ સાથે કુલ રિકવર કેસનો આંકડો 2,86,78,390 પર પહોંચ્યો છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 98 લાખ કરતાં પણ વધારે લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે. હાલ દેશમાં 7,60,019 લોકો કોરોનાથી સંક્રમિત છે અને કોરોનાની સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે 19,02,009 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં 38,92,07,637 ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.