25 September, 2021 11:47 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના જયપુરમાં શનિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં ચક્ષુમાં NH-12 નિમોડિયા વળાંક પર ટ્રક અને વાન ટકરાઈ હતી, જેમાં છ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે, જેમને ચક્ષુની સેટેલાઇટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વાનમાં 11 લોકો રીટ પરીક્ષા આપવા માટે બારાં થી સીકર જઈ રહ્યા હતા.
ટ્રેક અને વાન વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે વાન ઉડી ગઈ હતી. આ અકસ્માતમાં વાન ચાલકનું પણ મોત થયું હતું. જ્યારે ચાર પરીક્ષાર્થીઓના મોત થયા હતાં. ઘાયલ વિદ્યાર્થીઓમાંથી એકની હાલત ગંભીર છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોતાના કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. પોલીસનું કહેવું છે કે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. બંને વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.